Tuesday, April 10, 2007

કૃપા

પરિમલને નોકરીમાં કંઈ અન્યાય થતાં તે ખૂબ નિરાશ બની ગયો. 'મારા નસીબમાં જ અન્યાય લખાયેલો છે. નાનપણમાં મા ગુમાવી , અપર મા પાસે ઉછેર થયો.... તેણે બાપુજી પાસે જિદ્દ કરી મને ઘરની મિલકતમાં પણ અન્યાય કરાવ્યો '.
સુવાસે પતિને સાંત્વન આપ્યું : હશે , હવે નસીબમાં જે મળવાનું હશે તે કોઈ ઝૂંટવી નહીં શકે.'
' ના, પણ સુવાસ , અકારણ અન્યાય થાય છે ત્યારે ભાંગી પડાય છે.'
તારી વાત સાચી છે, પણ તારે એમ માનવું કે આવા અન્યાય કોઈ વ્યક્તિ તરફથી થાય છે. તું જ કહે કુદરત તરફથી આપણને કોઈ અન્યાય થાય તો આપણે શું કરી શકીએ ?'
સુવાસ બોલતાં તો બોલી ગઈ પણ પછી તેના ભુતકાળમાં ખોવાઈ ગઈ. પોતે રૂપાળી હતી, મનપસંદ યુવક સાથે સગપણ થયેલું . પણ અકસ્માત પછી ચહેરા ઉપર 'પ્લાસ્ટિક સર્જરી' થતાં તે યુવકે સગપણ તોડી નાખ્યું. .
પરિમલ પણ કંઈ વિચારમાં ખોવાઈ ગયો... તે જાણતી હતી કે 'રિસર્ચ' કરતાં અકસ્માતે ' કેમિકલ ' ઉડવાથી તેની એક આંખ ગયેલી. પી. એચ. ડી. ડિગ્રીધારી આ સ્માર્ટ યુવાનને મારી સાથે પરણવું પડ્યું.
વિચારમાં ખોવાયેલ પતિને જોઈ તે સભાન થઈ ગઈ. પરિમલના ગાલે મીઠી ટપલી મારી તે બોલી : 'મિસ્ટર ભગવાન જે કરે છે તે આપણા સારા માટે જ થાય છે; સમજ્યા ? આપણે બંને કેટલા આનંદથી જીવીએ છીએ ?'
વિચારોમાંથી જાગેલ પરિમલે પોતાના પ્રસન્ન દામ્પત્યના અનુસંધાને જ જાણે કહ્યું હોય તેમ સુવાસને ચુંબન આપતાં કહ્યું : ' હા , તું સાચું કહે છે, આપણી ઉપર કુદરત ની કૃપા છે

ડૉ . અશ્વિન મ. વસાવડા

No comments: