Monday, October 30, 2006

મુંબઈ દર્શન

ગયા મંગળવારે એટલેકે 24 તારીખે અમે બધા મુંબઈ દર્શન માટે ગયા હતા .ખરેખર તો અમારે દિવાળીમાં કુંભોજ બાહુબલી જવાનુ હતુ (કોલ્હાપુર ની જોડે) પણ કોઈ સારો સંગાથ ન મળવાને કારણે હવે અમે ડીસેમ્બરમાં જવાનુ રાખ્યુ છે. મુંબઈ દર્શન ખરેખર તો મારી ઢીંગલી ક્રેશા માટે જ નક્કી કર્યુ હતુ. સૌથી પહેલા તો અમે બોરીવલી નેશનલ પાર્કમાં આવેલ તીનમુર્તી પોદનપુર ગયા હતા, ત્યાં દર્શન કરી સીધા છોટા કાશ્મીર ગયા હતા , પણ ત્યાં કાંઈ મજા ના આવતા તરત જ નીકળી ગયા હતા, ત્યાંથી સીધા જ અમે રાણીબાગ ગયા હતા, ત્યા તો ક્રેશાને ખુબ જ મજા પડી ગયી હતી, એ તો આટલા બધા પ્રાણીઓને જોઈને ખુશ થઈ ગયી હતી, ત્યાર બાદ ત્યાંથી અમે ગેટ વે ઓફ ઈંડીયા જોવા ગયા અને ત્યાંથી મહાલક્ષ્મી મંદીર થઈને જુહુ બીચ પર ગયા ..ત્યાં થોડો નાસ્તો કરીને ઈસ્કોન મંદીર જોઈને ત્યાંથી સીધા ઘરે પાછા ફર્યા..લખવામાં જેટલુ જલ્દી પતી ગયુ એટલી જ વધાર વાર ફરવામાં લાગી હતી ...પુરા 12 કલાક થયા હતા, અમે બધાએ ખુબ જ મજા કરી ..

No comments: